આર્કાઈવ્ઝ - પરિષદવૃત્ત: સમાચાર સંગ્રહ
૨૦૦૮
નવેમ્બર ૨૦૦૮
- આગામી કાર્યક્રમો: ગુજરાતી સાહિત્ય પરિષદ - પચ્ચીસમું જ્ઞાનસત્ર
- પરિષદ અંતર્ગત 'કવિલોક'ની સુવર્ણજયન્તી અને અંગ્રેજ કવિ જહૉન મિલ્ટનની ચતુર્થ જન્મશતાબ્દી નિમિત્તે શ્રી અનિલા દલાલે 'મિલ્ટનની કવિપ્રતિભા' પર તા.૨૪-૯-૨૦૦૮ના રોજ સાંજે વિશ્વકવિતા કેન્દ્રમાં વ્યાખ્યાન આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે શિશુવિહાર 'બુધસભા'ના (ભાવનગર) સહયોગથી શ્રી તારાબહેન મહેતા વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત શ્રી અજય પાઠકે 'ભાવનગરના ગઝલકારો: ગઈ કાલ અને આજ' પર તા.૨૪-૯-૨૦૦૮ના રોજ શિશુવિહાર, ભાવનગર મુકામે વ્યાખ્યાન આપ્યું.
- પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૨-૧૦-૦૮ ગાંધીજયંતીના દિવસે શ્રી દેવવ્રત રાય દિગ્દર્શિત દસ્તાવેજી ફિલ્મ 'The Poet and the Mahatma' બતાવવામાં આવી.
- તા.૩-૧૦-૦૮ના રોજ સાંજે દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્રના ઉપક્રમે એન.આઈ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલી 'વલી ગુજરાતી' પરની ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે નિબંધસ્પર્ધાના વિજેતાઓને, શ્રી કુમારપાળ દેસાઈના અધ્યક્ષપદે અને શ્રીમતી તરલા દલાલના અતિથિવિશેષપદે, પારિતોષિક-વિતરણનો કાર્યક્રમ મુંબઈ મુકામે તા.૧૧-૧૦-૨૦૦૮ના રોજ યોજવામાં આવ્યો હતો.
- બાળવિભાગનું ઉદઘાટન: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાં બાળવિભાગના ઉદઘાટનનો કાર્યક્રમ તા.૨૬-૯-૦૮ના રોજ યોજાયો હતો. જેમાં શ્રી બકુલેશભાઈ ભૂતા (રાજ્ય ગ્રંથાલય) ઉદઘાટક તરીકે આવ્યા હતા.
ઓક્ટોબર ૨૦૦૮
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને જયન્તિ દલાલ સ્મૃતિસમિતિના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા.૨૪-૮-૨૦૦૮ના રોજ સાંજે રા.વિ.પાઠક સભાગૃહમાં વક્તવ્ય અને દ્રષ્યશ્રાવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રગતિ મિત્ર મંડળ (મુંબઈ - બોરીવલી - કાંદીવલી)ના સંયુક્ત ઉપક્રમે 'કવિઓની નવાજૂની' કાર્યક્રમનું આયોજન તા.૩૧-૮-૨૦૦૮ના રોજ કરવામાં આવ્યું.
- રવીન્દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે 'રવીન્દ્ર-સંગીત: વર્ષાગીતો' કાર્યક્રમનું આયોજન તા.૩-૯-૨૦૦૮ ને બુધવારે સાંજે પરિષદભવનમાં થયું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદની 'આપણો સાહિત્યવારસો' શ્રેણીમાં તા.૫-૯-૨૦૦૮ના રોજ સાંજે મલયાળમ અને અંગ્રેજીના કવિ શ્રી.કે.સચ્ચિદાનંદન(પૂર્વસચિવ, સાહિત્ય અકાદેમી, દિલ્હી)ના કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાયો.
- પરિષ્દ અંતર્ગત શ્રી એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્રના ઉપક્રમે શ્રી પ્રદીપ ખાંડવાલા દ્વારા અંગ્રેજીમાં અનૂદિત ગુજરાતી કવિઓનાં કાવ્યોના સંગ્રહ 'beyond the Beaten Track'નો લોકાર્પણવિધિ તા.૬-૯-૨૦૦૮ના રોજ પરિષદભવનમાં યોજાયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિક્ષણ મહાવિદ્યાલય - ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૯-૨૦૦૮ના રોજ શ્રી વ્રજલાલ દવે - શિક્ષણવિષયક વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનનું આયોજન થયું.
- તા.૧૨-૯-૨૦૦૮ના તોજ લુણાવડા આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ પ્રેરિત 'નવોદિત સર્જકો સાથે સંવાદ' પ્રવૃત્તિ અંતર્ગત ટૂંકી વાર્તા પર એકદિવસીય સંવાદ થયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત 'પાક્ષિકી'ના ઉપક્રમે તા.૪-૯-૨૦૦૮ની સાંજે શ્રી અનિલ વ્યાસે તેમજ તા.૧૮-૯-૨૦૦૮ની સાંજે શ્રી કલ્પેશ પટેલે તેમની અપ્રગટ વાર્તાઓનું પઠન કર્યું હતું.
- તા.૯-૯-૨૦૦૮ના રોજ એચ.કે.આર્ટસ તેમજ તા.૧૩-૯-૨૦૦૮ના રોજ આર.એચ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજનાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પરિષદના વિવિધ વિભાગોની સવિસ્તારપૂર્વકની માહિતી લીધી હતી.
- એનીબહેન સરૈયાલેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે યોજવામાં આવેલી નિબંધસ્પર્ધામાં કાલિન્દી પરીખને પ્રથમ ઈનામ મળ્યું છે. પારિતોષિકવિતરણ સમારંભ તા.૧૧-૧૦-૨૦૦૮ના રોજ મુંબઈ મુકામે યોજાયો.
સપ્ટેમ્બર ૨૦૦૮
- ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અને 'કલાપક્ષ'ના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી (૨૧/૭) નિમિત્તે પરિષદપ્રમુખ શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષસ્થાને શુક્રવાર તા.૨૫-૭-૨૦૦૮ના રોજ 'કવિનો ત્રીજો અવાજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
- હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર અને ગાંધીવિચારન આ અભ્યાસી શ્રી ગિરિરાજ કિશોર સાથે પ્રમુખ શ્રી નારાયણ દેસાઈની ઉપસ્થિતિમાં એક વાર્તાલાપનું આયોજન તા.૨૬-૭-૨૦૦૮ને શનિવારે સવારે ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં કરવામાં આવ્યું.
- સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત હિન્દી સાહિત્યકાર શ્રી ગિરિરાજ કિશોરના અતિથિવિશેષ પદે તેમની હિન્દી નવલકથાના શ્રી મોહન દાંડીકરે કરેલા ગુજરાતી અનુવાદ 'પહેલો ગિરમીટિયો' વિશે એક સંગોષ્ઠિનુંઆયોજન ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં તા.૨૭-૮-૨૦૦૮ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો સહયોગ હતો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત 'રવીન્દ્રભવન'ના ઉપક્રમે તા.૭-૮-૨૦૦૮ - કવિશ્રી રવીન્દ્રનાથની પુણ્યતિથિના રોજ શ્રી મૃણાલિની સારાભાઈનું વક્તવ્ય ગોઠવાયું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વુમન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે તા.૧૯-૮-૨૦૦૮ના રોજ સાંજે શ્રી ચીનુ મોદી લિખિત દિગ્દર્શિત બે નાટકો રા.વિ.પાઠક સભાગૃહમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં.
- આગામી જ્ઞાનસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.
- તા.૨ -૮-૦૮ના રોજ પરિષદ ભવનમાં 'પાક્ષિકી' અંતર્ગત 'સાંપ્રત હિંસક ઘટનાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરતી સાહિત્યિક કૃતિઓના પઠનનો કાર્યક્રમ યોજાયો હતો.
- સાહિત્યયાત્રા ઊર્ફે સંવેદનયાત્રા ઊર્ફે સંવાદયાત્રા: તા.૫ જુલાઈના રોજ કલાપી જન્મસ્થળ લાઠીથી, કલાપીતીર્થધામથી આરંભાયેલા અને તા.૧૧ જુલાઈના રોજ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં રાત્રે ૮.૦૦ વાગે પૂરી થયેલી આ યાત્રા, ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં એક અવિસ્મરણીય સાહિત્યિક ઘટના - પ્રયોગ સાબિત થયાં છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર એમ મુખ્યત્વે સાત શહેરમાંથી પસાર થયેલી આ સાહિત્યયાત્રાએ નવું ધબકતું સાહિત્યનું વાતાવરણ રચ્યું.
ઑગસ્ટ ૨૦૦૮
- તા.૨૫-૬-૨૦૦૮ - કવિલોક ટ્રસ્ટની શતાબ્દી નિમિત્તે પરિષદ - ભવનમાં કાવ્યપઠન, આસ્વાદનો કાર્યક્રમ થયો. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે કવિ સુન્દરમની કવિતા પર મનનીય પ્રવચન કર્યું.
- પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૨-૭-૨૦૦૮ના રોજ અનિલા દલાલે રવીન્દ્રનાથનાં બે નાટકો પર વક્તવ્ય આપ્યું: 'વાલ્મીકિ પ્રતિભા' અને 'પ્રકૃતિર પ્રતિશોધ.' તેમણે આરંભમાં કવિ રવીન્દ્રનાથની નાટ્યપ્રવૃત્તિની ટૂંકમાં રૂપરેખા આપી નાટકકાર રવીન્દ્રનાથને બિરદાવ્યા.
- ગુજરાત કેળવણી પરિષદ અને સહયોગી સંસ્થાઓ - ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતીનો અધ્યાપક સંઘ -ના સંયુક્ત ઉપક્રમે તા.૩-૭-૨૦૦૮ના રોજ પરિષદ ભવનમાં શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષ સ્થાને માતૃભાષાના શિક્ષણની નબળી થતી સ્થિતિમાં તેમાં સુધારણા માટે વિચારણા કરી સક્રિય થવા એક સભાનું આયોજન થયું.
- ૫-૭-૨૦૦૮થી ૧૧-૭-૨૦૦૮ દરમ્યાન પરિષદ દ્વારા સાહિત્ય-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ - અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર - ઘણી સાહિત્યિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે વાર્તાલાપો, ચર્ચાઓ યોજાયાં.
- એનીબહેન સરૈયા લોખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે આ વર્ષે નિબંધ-સ્પર્ધાનું આયોજન થયું છે તે નિમિત્તે લેખિકાઓ અને બહેનોનું એક મિલન તા.૧૭-૭-૨૦૦૮ના રોજ ગોવર્ધન સ્મૃતિમંદિરમાં યોજાયું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રગતિ મિત્રમંડળ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે તા.૩૧-૮-૦૮ના રોજ સાંજે પાંચ વાગ્યે પાચોલિયા સભાગૃહ, સરદાર પટેલ હાઈસ્કૂલ, કાંદીવલી (વેસ્ટ) મુંબઈમાં કવિસંમેલન યોજવામાં આવ્યું છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દરિયાપારના સાહિત્યકારો માટે વર્ષ ૨૦૦૫-૨૦૦૬-૨૦૦૭ દરમ્યાન પ્રકાશિત શ્રેષ્ઠ નવલકથાને 'ગુજરાત દર્પણ પારિતોષિક' એનાયત કરવામાં આવશે.
- જયન્તિ દલાલ સ્મૃતિ સંધ્યા નિમિત્તે રવિવાર તા.૨૪ ઑગસ્ટના રોજ સાંજે છ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં શ્રી પ્રવીણ પંડ્યા સાંપ્રત સંદર્ભમાં જયન્તિ દલાલના લેખન પર આધારિત 'બંદાના બોલ' (નાટ્યાત્મક પ્રસ્તુતિ) રજૂ કરશે.
જુલાઈ ૨૦૦૮
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ તેમજ કાર્યવાહક સમિતિના સ્થાનિક સભ્યો, અન્ય સાહિત્યકારો તેમજ કેટલાક કર્મશીલોની એક બેઠક, સ્વ.ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહ 'સાપના ભારા' ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યો, ઉત્તર ગુજરાતમાં સળગાવવામાં આવ્યો, ગુજરાત યુનિવર્સિટીની અભ્યાસક્રમ સમિતિ પણ અભ્યાસક્રમમાંથી સંગ્રહને રદ કરવા વિચારી રહી છે એ ચિંતાજનક ઘટનાના સંદર્ભે, પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈના સૂચનથી પરિષદભવનમાં તા.૨૫-૫-૨૦૦૮ સાંજે યોજવામાં આવી હતી. શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી એ સભાએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો:
- ૨૮-૫-૦૮ કવિલોક ટ્રસ્ટની શતાબ્દીનું વર્ષ હોવાથી પરિષદભવનમાં શ્રી ભોળાભાઈ પટેલે બંગાળી કવિ શ્રી બુધ્ધદેવ બસુની કવિતા વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું.
- સાહિત્ય-સંગમ, સુરત તરફથી અમદાવાદમાં 'સાહિત્ય-સંકુલ' પુસ્તક-પ્રકાશન-વેચાણના કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું.
- તા.૫-૬-૨૦૦૮ - રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી શૈલેષભાઈ પારેખે તેમની રવીન્દ્રભૂમિની યાત્રા વિશે - એ વિશિષ્ટ સ્થળો વિશે, પોતાના અનુભવોની વાત કરી અને પછી બે મહિના ઉપર દિલ્હીમાં મળેલી રવીન્દ્રનાથ વિશેની બેઠકો - પરિસંવાદ - સંગીત - નૃત્યની પણ વિગત આપી.
- 'આપણો સાહિત્યવારસો' અંતર્ગત 'દરિયાપારના સર્જકો' એ શ્રેણીમાં સાહિત્ય પરિષદના ઉપક્રમે યુ.એસ.એ.થી આવેલ કવિશ્રી અદિલ મન્સૂરીના કાવ્યપઠનનો કાર્યક્રમ તા.૧૦-૬-૦૮ની સાંજે યોજાઈ ગયો.
- તા.૧૨-૬-૦૮ -શ્રી પ્રદીપ ખાંડવાલા સાથે નવોદિત કવિઓનું એક મિલન પરિષદના ઉપક્રમે યોજવામાં આવ્યું.
- પરિષદ અંતર્ગત એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે આ વર્ષે બહેનો માટે નિબંધ-લેખનની સ્પર્ધા યોજવામાં આવી છે.
- મુંબઈની અગ્રગણ્ય મરાઠી સંસ્થા "સાને ગુરુજી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ" દ્વારા 4થી મી શ્રી નારાયણ દેસાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
- ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે સક્રિય એવી સાહિત્યિક તથા શૈક્ષણિક સંસ્થાઓને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ સાહિત્યિક આબોહવાને જીવંત રાખવા વિવિધ વ્યાખ્યાનમાળાઓનું આયોજન કરે છે.
જૂન ૨૦૦૮
તા.૨૩-૪-૨૦૦૮ના રોજ પરિષદના ઉપક્રમે કૉપીરાઈટ દિન તેમજ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે, નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાતી પ્રકાશક મંડળના પ્રમુખશ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ 'લેખક-પ્રકાશક વચ્ચે કૉપીરાઈટ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું..
- તા.૨૬-૪-૨૦૦૮: પ્રમુખશ્રી નારાયણભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં દલિત સાહિત્યના તેમજ મુસ્લિમ, પારસી અને આદિવાસી સાહિત્યના સર્જકો સાથે મિલન ગોઠવાયું હતું.
- તા.૨૭-૪-૨૦૦૮: પ્રમુખની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ સબળ બનાવવા અંગેની સમિતિના સભ્યોનું મિલન થયું. બધાં જ આ વિશે ચિંતિત હતા અને માર્ગ કાઢવા ઘણા પ્રકારનાં જુદાં જુદાં સૂચનો થયાં.
- સદગત વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળાનું શિક્ષણ વિષયક વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી સુદર્શન આયંગરે તા.૨૯-૪-૦૮ના રોજ સાંજે પરિષદ ભવનમાં આપ્યું, આધુનિક સમયના તંત્ર-યંત્ર આદારિત શિક્ષણની - વહીવટની - ઊણપો દર્શાવી, એ પૂરવા જીવનલક્ષી - ઉદ્યોગલક્ષી શિક્ષણને અનિવાર્ય બનાવવું જોઈએ એવું મંતવ્ય પ્રકટ કર્યું.
- કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તીની ઉજવણીના ભાગ રૂપે તા.૩૦-૪-૨૦૦૮ના રોજ કવિશ્રી નિરંજન ભગતે તેમના નવા પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ 'પુનશ્ચ'માંથી કેટલાંક કાવ્યોનું પઠન કર્યું.
- તા.૧-૫-૨૦૦૮: રાષ્ટ્રીય આદિવાસી ભાષાસાહિત્ય સંમેલન પરિષદ પ્રમુખશ્રી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં દાંડી મુકામે યોજાયું હતું. શ્રી ગણેશ દેવી તેમજ અન્ય વક્તાઓએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યાં.
- તા.૭-૫-૨૦૦૮ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નિરંજન ભગતે રવીન્દ્રનાથ ટાગોરના અંતિમ ગીત 'હે નૂતન' વિશે વક્તવ્ય આપ્યું.
મે ૨૦૦૮
તા.૩૧-૩-૨૦૦૮ના રોજ પાજોદ દરબારના કવિ શ્રી રુસ્વા મઝલુમીના અવસાન નિમિત્તે શોકસભા રાખવામાં આવી હતી.
- પરિષદના ઉપક્રમે રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પ્રખર અભ્યાસી, અનુવાદક અને કવિ, તેમજ યુનિ. ઑફ લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ
આફ્રિકન સ્ટડિઝમાં બંગાળી ભાષા-સાહિત્યવિભાગના વરિષ્ઠ અધ્યાપક ડૉ.વિલિયમ રેડિચીનું `Poetry in Britain Today' વિશે વ્યાખ્યાન યોજાયું.
- તા.૨-૪-૨૦૦૮ની સાંજે ડૉ.વિલિયમ રેડિચીએ `Painting the Dust and the Sunlight : Rabindranath Tagore and
the two Gitanjalis' વિશે વ્યાખ્યાન આપ્યું.
- વિવિધ સમિતિઓની પ્રાથમિક બેઠક ૧૩-૪-૨૦૦૮ ને રવિવારે સવારે મળી હતી.
એપ્રિલ ૨૦૦૮
ભાવનગરમાં સર્જક-સંવાદ
- વલસાડમાં સાહિત્યયાત્રા અને સર્જક-સંવાદ
- બુક લવર્સ ફોરમ, ભરૂચ
- ગાંધીકથાકાર શ્રી નારાયણ દેસાઈ પ્રેરિત ગુજરાતવ્યાપી સાહિત્યયાત્રાના ઉપક્રમે અંકલેશ્વર નગરમાં સાહિત્યગોષ્ઠિ
- તારાબેન મહેતા વ્યાખ્યાનમાળા
- સૉનેટસત્ર (સાદરા)
- કે.બી.વ્યાસ વ્યાખ્યાનમાળા
- વિશ્વનાથ મગનલાલ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા
- રવિશંકર રાવળ વ્યાખ્યાનમાળા
- એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ
માર્ચ ૨૦૦૮
'આશંકા' અને 'શેષ વસંત' પર કાર્યક્રમ
- કવિ રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન
- વિશ્વ ગુર્જરી સાહિત્ય પર્વ' અને 'પુસ્તજક અધ્યયન'
- યુનિવર્સિટી વ્યાખ્યાન
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો
ફેબ્રુઆરી ૨૦૦૮
રવીન્દ્રભવનના ઉપક્રમે રવીન્દ્રનાથના અંતિમ કાવ્યસંગ્રહ `શેષલેખા'
- 'આપણો સાહિત્યવારસો' તા.૮-૧-૨૦૦૮ને મંગળવારે યોજાયો
- પાક્ષિકી-પર્વ
- 'તુલનાત્મક ભારતીય સાહિત્ય' વિશે પરિસંવાદ
- તા.૧૯-૧થી તા૨૭-૧ દરમિયાન પરિષદ આયોજિત નવ દિવસીય પુસ્તકમેળો
જાન્યુઆરી ૨૦૦૮
ધરમપુરમાં યોજાયેલું સાહિત્યપર્વ
- રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી રવીન્દ્રનાથના કાવ્ય 'સોનાર તરી'નું વિશ્લેષણ
- શ્રી નારાયણ દેસાઈના અભિવાદનનો કાર્યક્રમ (મુંબઈ)
- ગાંધીનગરમાં પરિશદનું ૪૪મું અધિવેશન ડિસેમ્બર ૨૦૦૭માં યોજાઈ ગયું