સ્વાગત
સમાચાર
ઑગસ્ટ ૨૦૦૮ પરિષદ સમાચાર
તા.૨૫-૬-૨૦૦૮ - કવિલોક ટ્રસ્ટની શતાબ્દી નિમિત્તે પરિષદ - ભવનમાં કાવ્યપઠન, આસ્વાદનો કાર્યક્રમ થયો. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે કવિ સુન્દરમની કવિતા પર મનનીય પ્રવચન કર્યું.
પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે
-પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈ, ઑગસ્ટ-૨૦૦૮
પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે. દુનિયાની આશરે છએક હજાર ભાષાઓમાંથી દર વર્ષે ઓછામાં ઓછી દસ કાળગ્રસ્ત થાય છે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે જે ભાષા બોલનારા એક લાખથી ઓછા હોય એ ભૂંસાવાના વર્તુળમાં આવી જાય છે. આજે દુનિયામાં ત્રણેક હજાર બોલીઓ બોલનારા લોકોની સંખ્યા દશ હજાર કરતાં ઓછી છે. ગુજરાતી બોલનારાઓની વસ્તી જોતાં આપણા પછીની અનેક પેઢીઓને આમ ભૂંસાવાનો ભય તત્કાળ જણાતો નથી. પણ ભાષાને ભૂંસી નાખનાર તત્ત્વોમાં એક મોટું તત્ત્વ શિક્ષણનું માધ્યમ બની શકે છે....વધુ વાંચો »
પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
મનપૂર્ણા
મનસુખ લશ્કરી
નવા સર્જકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સાહિત્ય પરિશદના હંમેશ પ્રયત્નો રહ્યા છે. મનસુખ લશ્કરીનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે. કુલ બોંતેર કાવ્યોના આ સંગ્રહનો
સમયગાળો વિસ્તૃત છે. ડૉ.આયંગર કહે છે તેમ કવિ 'છંદના બંધાણી લાગતા નથી, ભયના ચાહક લાગે છે.' કવિને બાળપણથી ગાવાનો શોખ. જીવનયાત્રામાં ઘર,
શાળા, મિત્રો, વિદ્યાપીઠની લાઈબ્રેરી - એ બધાંએ એમના કવિતા-સંસ્કારને એમનામાં પાળ્યા, પોષ્યા અને વિકસાવ્યા. કાવ્યોમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે.
ભાવકો આ કાવ્યસંગ્રહને આવકારશે એવી અપેક્ષા.
નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
આર્કાઈવ્ઝમાંથી
માદળિયું
- ચીનુ મોદી
તું માદળિયું બાંધ નહીં કોટમાં
ઈલમની લકડીના તાનમાં ને તાનમાં
લેખાતો ચાલ્યો છે ભોટમાં
તું માદળિયું ..
રસ્તાનું આંતરડાં જેમ વળ્યું કોકડું
ને ઉકલ્યાનું રોજ લાગે ટાણું,
રાતોની રાતોની રાતો વીતીને છતાં
કૂકડો નથી કે નથી વ્હાણું;
કૂંડીનાં પાણીને સીંચી સીંચીને તે
ઠાલવ્યું છે ખાલી કથરોટમાં
તું માદળિયું ..
નામ જોગી હૂંડી તો લખવાનું કોણ છે?
કાચી પડી છે બધી પેઢી;
આંખો નીચોવ નહીં, નિસાસા નાખ નહીં,
લાગણીઓ મેલ નહીં રેઢી;
લાભ્યા લાભ્યા એમ લાગો છો લાખ
પણ, છેવટ જવાનો તું ખોટમાં
તું માદળિયું ..
('નવનીત સમર્પણ', ઑક્ટો.૨૦૦૫)
પ્રવૃત્તિ વિભાગ
રવીન્દ્રભવન
તા.૬-૬-૨૦૦૭ના રોજ રવીન્દ્રભવન અંતર્ગત થયેલા કાર્યક્રમમાં કવિશ્રી નિરંજન ભગતે ટાગોરના 'પૂરવી' કાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના ફોટા
ગુજરાતી ભાષા
કેવી રીતે શીખવી
ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો
સભ્યપદ
નવું અને રિન્યૂઅલ
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૦૯
વર્તમાન પ્રમુખ:નારાયણ દેસાઈડોનેશન અને આપનો સહયોગ
માહિતી
- સેક્શન 80G
- કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ
નિરંજન ભગત CD સંગ્રહ
ગુજરાતીમાં સાંભળો
વિડિયો આર્કાઈવ
સર્જન અને સાહિત્ય ફિલ્મશ્રેણી
પૉડકાસ્ટ -podcast
મોબાઈલ પર સાંભળો
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન