સ્વાગત          

સમાચાર



જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૨ પરિષદ સમાચાર


  • ગુજરાતી સાહિત્ય પરિષદનું છેંતાલીસમું અધિવેશન બધી રીતે અપૂર્વ રહ્યું. સવિશેષ યુવાનોની સક્રિય ઉપસ્થિતિએ એક મોટી આશા જન્માવી છે. દરેક વક્તાઓના અભ્યાસપૂર્ણ વક્તવ્યોએ અધિવેશનને સાચા અર્થમાં પરિષદ બનાવી હતી.
  • હવે શ્રી ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે. આવનારા સમયમાં એમની વિદ્વત્તા અને એમની વિશિષ્ટ સાહિત્યિક દ્રષ્ટિ પરિષદના આગામી કાર્યક્રમોને વધુ ઊંડાણ અભર્યા તથા ઉચ્ચ ગુણવત્તાભર્યા બનાવશે. એમને અભિનંદન સાથે વંદન.
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર

..વધુ વાંચો »

આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |

પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર

પરિષદ-પ્રમુખશ્રી ભોળાભાઈ પટેલ, જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૨

મધ્યકાલીન ભારતીય ભક્તિકવિતાની સુવર્ણફસલ:

૧૯૫૫માં નડિયાદ મુકામે ભરાયેલા પરિષદના અધિવેશન પ્રસંગે વિજયાદશમીએ ગોવર્ધનરામની શતાબ્દીવંદના પણ હતી, ત્યારે હું પહેલી વાર પરિષદના અધિવેશનમાં ગયો હતો. સાથે હતા 10મી શ્રેણીમાં ભણતા રઘુવીર ચૌધરી, જેમણે હાઈસ્કૂલ કક્ષાના છાત્રો માટે યોજાયેલી 'સરસ્વતીચંદ્ર' વિશેની નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. સંતરામ મંદિરમાં અમારો ઉતારો હતો. ...

વધુ વાંચો »


પુસ્તક વિભાગ


નવું પુસ્તક!

પારિજાતક

- હેમાંગિની રાનડે, પ્ર.આ.૨૦૧૦, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૯૯, કિં.રૂ.૧૪૦/-)

Book Cover સદગત બી.કે.મજમુદારના વસિયતનામામાં પ્રગટ થયેલી, સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં આવેલી શ્રી બી.કે.મજમૂદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત આ વાર્તાસંગ્રહ 'પારિજાતક' ત્રેવીસમા મણકા રૂપે પ્રગટ થયો છે. શ્રીમતી હેમાંગિની રાનડી લેખનનો આરંભ હિન્દીમાં કર્યો હતો. અને ગુજરાતીમાં પણ વાર્તાલેખનકાર્ય આરંભ્યું છે. તેમની 'ઉનાળો' વાર્તાને વાર્તાનો પ્રતિષ્ઠિત 'કથા' એવૉર્ડ મળેલો છે. આ સંગ્રહની વાર્તાઓમાં નારીચેતનાનાં વિવિધ રૂપો , બાળમાનસ અને આધેડવયના મનુષ્યોનાં સંવેદનો આલેખાયાં છે. હેમાંગિનીબહેનના આ પ્રથમ વાર્તાસંગ્રહને વાર્તારસિક ભાવકો ઉષ્માભેર આવકારશે એવી અપેક્ષા છે.



નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી

વાચનકક્ષ


આર્કાઈવ્ઝમાંથી


પદ્ય: અહીં - મુકેશ વૈદ


નથી રહ્યાં ઘર,
નથી ગામ, નથી નદી,
નથી મળસ્કે ફૂટતાં ફટાકડાનો અવાજ...
નવા વરસનાં શુકન બોલનારા તો
ક્યાંથી જ હોય અહીં?
તો યે ચાળીસ વરસે આવી ચડી છે
એક સવાર.
અંધારે અંધારે ફટાકડામાં ફૂટતી
ઊઘડતી ધૂમ્રગોટે
ચળકતી ધૂંધળી
સ્થિર જ્યોત ઝળહળે છે ગોખલાઓમાં.
ઘરનો એક્કેય ગોખલો આજે ખાલી નથી.
ફળિયે ફાનસની ધમાચકડીમાં
મને નવાં લૂગડાં પહેરાવી
લાકડી લઈ બા-બાપાની આંગળી પકડીને
મોસાળ આખું ય થનગને છે.
બળદના ઓળા પડતાં જ
ખળભળે છે કાવેરીનાં જળ
મહાદેવની દેરીએ ઊંચા પગથિયાં અકળ.
પારિજાતના માંડવેથી
ટપોટપ ખેરવે છે
કેસરી દાંડીવાળી
મઘમઘતી સવાર.


(તથાપિ : સપ્ટે-નવેં ૨૦૦૫)




વધુ વાંચો »

પ્રવૃત્તિ વિભાગ

રવીન્દ્રભવન

ગુજરાતી ભાષા

કેવી રીતે શીખવી

ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો

સભ્યપદ

નવું અને રિન્યૂઅલ

પરિષદના પ્રમુખો

૧૯૦૫-થી-૨૦૧૩

વર્તમાન પ્રમુખ:શ્રી ભોળાભાઈ પટેલ

ડોનેશન અને આપનો સહયોગ

માહિતી

  • સેક્શન 80G
  • કરમુક્ત

ઇતિહાસ

૧૦૦ વર્ષથી ય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››

સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

Since 1905


(this site is best viewed with IE)