સ્વાગત          

સમાચાર



ઑગસ્ટ ૨૦૦૮ પરિષદ સમાચાર

  • તા.૨૫-૬-૨૦૦૮ - કવિલોક ટ્રસ્ટની શતાબ્દી નિમિત્તે પરિષદ - ભવનમાં કાવ્યપઠન, આસ્વાદનો કાર્યક્રમ થયો. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે કવિ સુન્દરમની કવિતા પર મનનીય પ્રવચન કર્યું.

  • પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૨-૭-૨૦૦૮ના રોજ અનિલા દલાલે રવીન્દ્રનાથનાં બે નાટકો પર વક્તવ્ય આપ્યું: 'વાલ્મીકિ પ્રતિભા' અને 'પ્રકૃતિર પ્રતિશોધ.' તેમણે આરંભમાં કવિ રવીન્દ્રનાથની નાટ્યપ્રવૃત્તિની ટૂંકમાં રૂપરેખા આપી નાટકકાર રવીન્દ્રનાથને બિરદાવ્યા.
  • ગુજરાત કેળવણી પરિષદ અને સહયોગી સંસ્થાઓ - ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતીનો અધ્યાપક સંઘ -ના સંયુક્ત ઉપક્રમે તા.૩-૭-૨૦૦૮ના રોજ પરિષદ ભવનમાં શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષ સ્થાને માતૃભાષાના શિક્ષણની નબળી થતી સ્થિતિમાં તેમાં સુધારણા માટે વિચારણા કરી સક્રિય થવા એક સભાનું આયોજન થયું.
  • ૫-૭-૨૦૦૮થી ૧૧-૭-૨૦૦૮ દરમ્યાન પરિષદ દ્વારા સાહિત્ય-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ - અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર - ઘણી સાહિત્યિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે વાર્તાલાપો, ચર્ચાઓ યોજાયાં.
  • ..વધુ વાંચો »

    આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |

    પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે

    -પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈ, ઑગસ્ટ-૨૦૦૮

    પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે. દુનિયાની આશરે છએક હજાર ભાષાઓમાંથી દર વર્ષે ઓછામાં ઓછી દસ કાળગ્રસ્ત થાય છે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે જે ભાષા બોલનારા એક લાખથી ઓછા હોય એ ભૂંસાવાના વર્તુળમાં આવી જાય છે. આજે દુનિયામાં ત્રણેક હજાર બોલીઓ બોલનારા લોકોની સંખ્યા દશ હજાર કરતાં ઓછી છે. ગુજરાતી બોલનારાઓની વસ્તી જોતાં આપણા પછીની અનેક પેઢીઓને આમ ભૂંસાવાનો ભય તત્કાળ જણાતો નથી. પણ ભાષાને ભૂંસી નાખનાર તત્ત્વોમાં એક મોટું તત્ત્વ શિક્ષણનું માધ્યમ બની શકે છે....વધુ વાંચો »


    પુસ્તક વિભાગ


    નવું પુસ્તક!

    મનપૂર્ણા

    મનસુખ લશ્કરી

    Book Cover નવા સર્જકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સાહિત્ય પરિશદના હંમેશ પ્રયત્નો રહ્યા છે. મનસુખ લશ્કરીનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે. કુલ બોંતેર કાવ્યોના આ સંગ્રહનો સમયગાળો વિસ્તૃત છે. ડૉ.આયંગર કહે છે તેમ કવિ 'છંદના બંધાણી લાગતા નથી, ભયના ચાહક લાગે છે.' કવિને બાળપણથી ગાવાનો શોખ. જીવનયાત્રામાં ઘર, શાળા, મિત્રો, વિદ્યાપીઠની લાઈબ્રેરી - એ બધાંએ એમના કવિતા-સંસ્કારને એમનામાં પાળ્યા, પોષ્યા અને વિકસાવ્યા. કાવ્યોમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. ભાવકો આ કાવ્યસંગ્રહને આવકારશે એવી અપેક્ષા.

    નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

    આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી


    આર્કાઈવ્ઝમાંથી

    માદળિયું

    - ચીનુ મોદી


    તું માદળિયું બાંધ નહીં કોટમાં
    ઈલમની લકડીના તાનમાં ને તાનમાં
    લેખાતો ચાલ્યો છે ભોટમાં
    તું માદળિયું ..
    રસ્તાનું આંતરડાં જેમ વળ્યું કોકડું
    ને ઉકલ્યાનું રોજ લાગે ટાણું,
    રાતોની રાતોની રાતો વીતીને છતાં
    કૂકડો નથી કે નથી વ્હાણું;
    કૂંડીનાં પાણીને સીંચી સીંચીને તે
    ઠાલવ્યું છે ખાલી કથરોટમાં
    તું માદળિયું ..
    નામ જોગી હૂંડી તો લખવાનું કોણ છે?
    કાચી પડી છે બધી પેઢી;
    આંખો નીચોવ નહીં, નિસાસા નાખ નહીં,
    લાગણીઓ મેલ નહીં રેઢી;
    લાભ્યા લાભ્યા એમ લાગો છો લાખ
    પણ, છેવટ જવાનો તું ખોટમાં
    તું માદળિયું ..


    ('નવનીત સમર્પણ', ઑક્ટો.૨૦૦૫)


    પ્રવૃત્તિ વિભાગ

    રવીન્દ્રભવન

    તા.૬-૬-૨૦૦૭ના રોજ રવીન્દ્રભવન અંતર્ગત થયેલા કાર્યક્રમમાં કવિશ્રી નિરંજન ભગતે ટાગોરના 'પૂરવી' કાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના ફોટા

    ગુજરાતી ભાષા

    કેવી રીતે શીખવી

    ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો

    સભ્યપદ

    નવું અને રિન્યૂઅલ

    પરિષદના પ્રમુખો

    ૧૯૦૫-થી-૨૦૦૯

    વર્તમાન પ્રમુખ:નારાયણ દેસાઈ

    ડોનેશન અને આપનો સહયોગ

    માહિતી

    • સેક્શન 80G
    • કરમુક્ત

    ઇતિહાસ

    ૧૦૦ વર્ષથી ય વધુ

    ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››

    સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

    Since 1905