સ્વાગત
સમાચાર
સપ્ટેમ્બર ૨૦૦૯ પરિષદ સમાચાર
પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી' અંતર્ગત તા.૨૩-૭-૨૦૦૯ના રોજ સાંજે ૬ વાગ્યે શ્રી પ્રદીપ ખાંડવાળાએ સ્વરચિત અંગ્રેજી કાવ્યો અને એના પોતે જ કરેલા ગુજરાતી અનુવાદનું પઠન કર્યું હતું. તા.૨૦-૮-૨૦૦૯ના રોજ શ્રી જિતેન્દ્ર દવી ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલી તેમની નવલકથા 'ચંપારણ'ના પ્રથમ પ્રકરણનું પઠન કર્યું હતું.
- રવીન્દ્રભવન, સ્વમાન પ્રકાશન અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા.૭-૮-૦૯ના રોજ, રવીન્દ્રનાથ ટાગોરની ૧૪૮મી મૃત્યુતિથિએ એમનાં નાટક 'ડાકઘર' શ્રી નિરંજન ભગતે વક્તવ્ય આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ અંતર્ગત તા.૨૮-૭-૨૦૦૯ના રોજ સાંજે ૬ વાગે શ્રી રતિલાલ બોરીસાગરે 'શુદ્ધ લેખન' વિશેની ચર્ચા કરી હતી.
- જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ માટે અમલમાં આવનાર ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ -ચૂંટણી અંગેની તારીખોમાં ફેરફાર નોંધી લેવો.
- નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વા.મંદિર હસ્તક શ્રી બી.કે.મજમુદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. વધુ જાણકારી માટે પ્રકાશનમંત્રીશ્રીનો સંપર્ક કરવો.
- વર્ષ ૨૦૧૦-૨૦૧૧ માટે પ્રમુખ: શ્રી ભગવતીકુમાર શર્મા
..વધુ વાંચો » આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર
-પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈ, સપ્ટેમ્બર ૨૦૦૯
અમેરિકાના નેવાર્કથી શ્રી અનંત શેઠે ફર્માઈશ કરી કે ('ગાંધીજયંતિ' અંગે) ત્રણચાર સારા બોલનારાઓમાં મારું નામ પણ છે. ગાંધીજી વિષે ઘણું ચીલાચાલુ બોલવા કરતાં આપની પાસે સરસ લખાણો, જે ગાંધીકથામાં છે તેમજ જે આપે અવારનવાર વર્ણવ્યાં છે તેવાં,
પંદર મિનિટ બોલી શકાય એટલી વિગતે જોઈએ છે."
અમેરિકામાં ફાસ્ટફૂડનું ચલણ આપણા કરતાં વધુ, એટલે એમની પાસે પંદર મિનિટથી વધારે સમય હોય શી રીતે? મને ગાંધીકથા સારુ ઓછામાં ઓછા પંદર કલાક જોઈએ! પણ કોઈકનેય મારા મુદ્દાઓ ઉપયોગી જણાતા હોય તો આ રીતે સુદ્ધાં ગાંધીવિચારને ફેલાવવાનું મારું મિશન થોડું આગળ ધપે એવી
આશાએ મેં તેમને કેટલાક મુદ્દાઓ મોકલી આપ્યા, તેને કાંઈક વિસ્તારી, કાંઈક મઠારી વાચકો સારુ રજૂ કરવાની રજા લઉં છું....
વધુ વાંચો »
પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
મુકામ શાંતિનિકેતન
- પુ.લ.દેશપાંડે,અનુ.અરુણા જાડેજા,
મરાઠીના લબ્ધપ્રતિષ્ઠ લેખક શ્રી પુ.લ.દેશપાંડે બંગાળી ભાષા શીખવા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો સંસ્પર્શ પામવા શાંતિનિકેતન રહ્યા હતા. તે સમયનાં તેમનાં સંસ્મરણો, રવીન્દ્રનાથની સર્જકપ્રતિભા અને શાંતિનિકેતનની ઉત્સવપરંપરા આ પુસ્તકમાં મનોહર રીતે આલેખાયાં છે. પુ.લ.સાહિત્યના અભ્યાસી અને તેમનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કરનાર શ્રીમતી અરુણાબહેન જાડેજાએ એ જ શીર્ષકથી સુંદર અનુવાદ કર્યો છે.નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
વાચનકક્ષ
પદ્ય: બોલું કશું -ભરત વિંઝુડા
મારી સામે આવ તો બોલું કશું
તું મને બોલાવ તો બોલું કશું ...
વધુ વાંચો »
આર્કાઈવ્ઝમાંથી
આવું છીછરું
- વિનોદ ગાંધી
સરવર આવું છીછરું ?
એક તણખલું તરી શકે ના, કેમ કરી હું તરું?
વાત ત્યજુ તરવાની
તો પણ ડૂબવાનું યે શું છે ?
લહર નહીં ને તરંગ પણ ના
મોજાંનું શું પૂછે ?
તળિયું પણ ના તૃપ્ત થાય ત્યાં આખો ઘટ શેં ભરું ?
સરવર આવું છીછરું ?
વમળ નથી કે કમળ નથી
ને નથી છીપ કે શંખ
ઊના જળની હૂંફ નથી, ના
શીતળ જળનો ડંખ,
હજુય ના સમજાય, સરવરે શાને કાજે ઊતરું ?
સરવર આવું છીછરું ?
(તથાપિ-૧: સપ્ટેં.નવેં ૨૦૦૫)
સભ્યપદ
નવું અને રિન્યૂઅલ
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૦૯
વર્તમાન પ્રમુખ:શ્રી નારાયણ દેસાઈવર્ષ ૨૦૧૦-૨૦૧૧ માટે પ્રમુખ:શ્રી ભગવતીકુમાર શર્મા
ડોનેશન અને આપનો સહયોગ
માહિતી
- સેક્શન 80G
- કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ
નિરંજન ભગત CD સંગ્રહ
ગુજરાતીમાં સાંભળો
વિડિયો આર્કાઈવ
પૉડકાસ્ટ -podcast
મોબાઈલ પર સાંભળો
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન