સ્વાગત
પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: તા. ૧ જુલાઈ થી શરૂસમાચાર
મે ૨૦૧૩ પરિષદ સમાચાર
- ઉત્કૃષ્ટ વાર્તાઓ ફિલ્મના પડદે : ‘પાક્ષિકી’ના ઉપક્રમે ૨૮ માર્ચની સાંજે આપણા સાહિત્યની બે ઉત્કૃષ્ટ વાર્તા કૃતિઓ પર આધારિત ટૂંકી ફિલ્મોની પ્રસ્તુતિનો કાર્યક્રમ પરિષદમાં યોજાઈ ગયો. ધૂમકેતુકૃત ‘પોસ્ટ માસ્તર’ અને ઈશ્વર પેટલીકરકૃત ‘લોહીની સગાઈ’ની કથાનું ફિલ્માંકન શ્રી પ્રશાંત સિસોદિયા દ્ધારા થયું છે. ડીસા સ્થિત કેટલાંક મિત્રોએ સાથે મળીને માતૃભાષા પત્યેના લગાવ તથા સાહિત્યપ્રીતિથી પ્રેરાઈને જ સ્વખર્ચે આ ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. દૃશ્યરચના, સંવાદો તથા પાર્શ્વભૂમા થતા બયાન દ્દારા કથાને સાદૃશ્ય કરવાનો સરાહનીય પ્રયાસ આ ફિલ્મોમાં કરવામાં આવ્યો છે.
- તા. ૪-૪-૨૦૧૩ના રોજ શ્રી દક્ષાબેન પટેલે ‘વિચ્છેદ’વાર્તાનું પઠન કર્યું હતું. શહેરના લોકોમાં રહેલી માનવીય સંવેદનાની ઊણપ અને તેથી કામ કરતા નોકરને વેઠવી પડતી અવહેલનાની વાર્તામાં રજૂઆત કરી હતી. આસ્વાદલક્ષી ચર્ચા રસપ્રદ બની હતી.
- વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા : તા.૪-૩-૨૦૧૩ ને સોમવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને એન.એસ.પટેલ કોલેજ,આણંદના સંયુક્ત ઉપક્રમે વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટનું ‘અભિજત ગીતસ્વરૂપવિચાર’ વિશે કોલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કર્યું હતું.
- અનુવાદ-અભિમુખતા: તા.૯-૪-૨૦૧૩, મંગળવારે મળેલી ‘અનુવાદ-અભિમુખતા’ની બેઠકમાં શ્રી રમેશ ર. દવેએ આગલી બેઠકનો દોર ચાલુ રાખ્યો હતો. આ વખતે તેમણે રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘stopping by woods’નાં સુંદરમ, ઉ.જો.,નિરંજન ભગત,સુરેશ દલાલ વિ. એ કરેલ ‘કુલ દસ’ અનુવાદ આપ્યા હતા.
- ‘અર્વાચીન ગુજરાતી હાસ્યસાહિત્ય’ વિશે પરિસંવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્ધારા આયોજિત તા.૨૩-૩-૨૦૧૩ને શનિવારના રોજ ‘અર્વાચીન ગુજરાતી હાસ્યસાહિત્ય’ વિશે પરિસંવાદ યોજાઈ ગયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત અને એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત મહિલાઓ માટે મૌખિક લઘુ નાટ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
- પરિષદ પુસ્તકાલય આપણાં બારણે: લીન્ક પરથી આપ પુસ્તકોનાં શીર્ષકો જોઈ શકો છો.
- ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે એડ્રેસ પર ઈમેલ કરવી.
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
- ઈ-ન્યુઝલેટર
- ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: એપ્રિલ ૨૦૧૩

-વર્ષા અડાલજા
મુનશીની કલમનો જાદુ....
એક કાળે ગુજરાતમાં એવો ભાગ્યે જ કોઈ યુવાન હશે જેણે મંજરીને પોતાની હૃદયસમ્રાજ્ઞી ન બનાવી હોય અને યુવતીઓ તો કાક પાછળ ઘેલી (અને હું પણ એમાંની એક).
શું એનાં પરાક્રમો અને શૂરવીરતા! જે છટાથી ઘોડો દોડાવે કે પવનને ય હંફાવે...
વધુ વાંચો »
પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
સ્વકીય
- સં.દલપત ચૌહાણ, મોહન પરમાર, હરિશ મંગલમ, પ્રવીણ ગઢવી, પાકું પૂઠું, પૃ.૧૮+૩૨૬, કિં.રૂ.૨૬૦/-

દલિત સર્જકોએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં જે પ્રદાન કર્યું છે, તેમાંથી ચયન કરીને સર્વશ્રી દલપત ચૌહાણ, મોહન પરમાર, હરિશ મંગલમ, પ્રવીણ ગઢવીએ 'સ્વકીય'નું સંપાદન કર્યું છે. અહીં સંગ્રૃહીત
રચનાઓમાં સચ્ચાઈનો રણકો છે પણ કડવાશ નથી. આ સંકલનમાંથી કેટલીક રચનાઓ વાચકના ચિત્તતંત્રને સ્પર્શી જાય તેવી છે.
નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
વાચનકક્ષ
આર્કાઈવ્ઝમાંથી
પદ્ય: મારી ભાષા - સંસ્કૃતિરાણી દેસાઈ
એક દિવસ અચાનક
હું બોલતી હતી ને અડધું પડધું સમજાતું હતું તેને
ને એ જે બોલતો હતો તે પણ
થોડુંક સમજણમાં પડતું હતું મને...
ને પછી તો ધીમે ધીમે કોઈને સમજ પડતી ન હતી
મારી ભાષા!
મેં લખીને સમજાવવા પ્રયત્ન કર્યો
તો મારી લિપિ જ સમજી નહોતા શકતા તેઓ.
હરપ્પા ને મોહેંજોદારોના જેવી ચિત્રો ભરેલી લિપિ
થોડા લીટા ને થોડાં ટપકાં... વાપર્યા
મારું ગાડું હવે હાવભાવ અને હાથના સંકેતોથી ચાલવા માંડ્યું
પછી બીજે દિવસે
એક બીજી વ્યક્તિની ભાષા સમજ નહોતી પડતી બધાને
ને પછી ત્રીજે દિવસે ત્રીજાની...
બધાની લિપિ પણ બદલાઈ ગઈ.
સર્વેની અલગ અલગ.
જાણે કે પ્રાદૈતિહાસિક અક્ષરમાળા જેવી
કોઈ કોઈને સમજી શકતું નહતું.
જિંદગી આગળ ચલાવવી કેવી રીતે?
શરૂઆતમાં છવાઈ ગઈ અંધાધૂંધી
પછી તો ધીમે ધીમે વાતો કર્યા વગર જ
(નવનીત-સમર્પણ : ઓક્ટોબર-૨૦૦૯)
વધુ વાંચો »
પ્રવૃત્તિ વિભાગ
રવીન્દ્રભવન
ગુજરાતી ભાષા
માતૃભાષા
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૧૩
વર્તમાન પ્રમુખ:શ્રી વર્ષાબેન અડાલજાદ્રશ્ય-શ્રાવ્ય વિભાગ
ઓડિયો વિડિયો આર્કાઈવ્ઝ
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન