સ્વાગત
પચ્ચીસમું જ્ઞાનસત્ર (માહિતી): તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, કીમ (જિ.સુરત)સમાચાર
નવેમ્બર ૨૦૦૮ પરિષદ સમાચાર
..વધુ વાંચો » આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર
-પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈ, નવેમ્બર-૨૦૦૮
આ પત્ર ભાષા કે સાહિત્ય અંગેનો નહીં હોય, છે તો એ એક અર્થમાં પ્રવાસવર્ણન પણ એમાં પ્રીતિ સેનગુપ્તા જેવી સાહસકથા કે ભોળાભાઈ જેવી સંસ્કારકથાયે નહીં હોય. તમારા મિત્રને ગમતો વિષય છે, તેથી તમને એટલો ગમતો ન પણ હોય, તે છતાં સાંખી લેવા વિનંતી. સપ્ટેમ્બર ૮મીથી માંડીને ઓક્ટોબરની 14મી સુધી વિદેશોમાં ગાંધીસ્મરણમાં સમય ગાળ્યો. ઇંગ્લેન્ડ, કેનેડા અને સંયુક્ત રાજય અમેરિકામાં પાંચ ગાંધીકથાઓ અને છ વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં. ઇંગ્લેન્ડમાં પાંચ-પાંચ દિવસની બે ગાંધીકથાઓ ગુજરાતીમાં અને કેનેડામાં એક અને અમેરિકામાં બે કથાઓ હિંદીમાં થઈ, જેમાંની બે ત્રણ-ત્રણ દિવસની અને એક બે દિવસની, પણ પાંચ-પાંચ કલાકની થઈ. વ્યાખ્યાનો બધાં અંગ્રેજીમાં થયાં અને ત્યારબાદ પ્રશ્નોત્તરી પણ થઈ. ....વધુ વાંચો »
પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
Beyond The Beaten Track
અનુવાદ: પ્રદીપ ખાંડવાલા
ગુજરાતી સાહિત્ય પરિષદના અનુવાદકેન્દ્ર દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથ ગુજરાતી કવિઓની કવિતાને અંગ્રેજી ભાષામાં અનુવાદ દ્વારા અન્યભાષી સહૃદયો સુધી પહોંચાડશે.
૧૧૫ કવિઓનાં કાવ્યોને વિષયની દ્રષ્ટિએ ૨૭ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. કુલ ૨૦૦ જેટલાં ગુજરાતી કાવ્યોના અનુવાદનો આ સંગ્રહ શ્રી પ્રદીપ ખાંડવાલાએ મોટાભાગનાં
કવિઓ સાથેના રૂબરૂ આદાન-પ્રદાન દ્વારા તૈયાર કર્યો છે, જેથી કવિઓનાં કાવ્યોનો મૂળ ભાવ અનૂદિત કૃતિમાં જળવાઈ રહે.
નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
આર્કાઈવ્ઝમાંથી
ગઝલ-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.
એક વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.
વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં
કોર દેખાઈ છે રૂપેરી મને.
જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.
ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.
ક્યાંય ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?
('શબ્દસૃષ્ટિ' : એપ્રિલ ૨૦૦૫)
પ્રવૃત્તિ વિભાગ
રવીન્દ્રભવન
તા.૬-૬-૨૦૦૭ના રોજ રવીન્દ્રભવન અંતર્ગત થયેલા કાર્યક્રમમાં કવિશ્રી નિરંજન ભગતે ટાગોરના 'પૂરવી' કાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના ફોટા
ગુજરાતી ભાષા
કેવી રીતે શીખવી
ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો
સભ્યપદ
નવું અને રિન્યૂઅલ
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૦૯
વર્તમાન પ્રમુખ:નારાયણ દેસાઈડોનેશન અને આપનો સહયોગ
માહિતી
- સેક્શન 80G
- કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ
નિરંજન ભગત CD સંગ્રહ
ગુજરાતીમાં સાંભળો
વિડિયો આર્કાઈવ
સર્જન અને સાહિત્ય ફિલ્મશ્રેણી
પૉડકાસ્ટ -podcast
મોબાઈલ પર સાંભળો
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન