સ્વાગત
આગામી કાર્યક્રમો છવ્વીસમું જ્ઞાનસત્ર, મોડાસા ખાતે: ડિસેમ્બર ૨૪ થી ૨૬ ૨૦૧૦નવીન: ગ્રંથસમીક્ષા-ગ્રંથાવલોકન
સમાચાર
ઓગસ્ટ ૨૦૧૦ પરિષદ સમાચાર
-
- રવીન્દ્રભવન: તા.૭-૭-૧૦ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી નિરંજન ભગતે ટાગોરના નાટક 'અરૂપરતન' વિશે વક્તવ્ય આપ્યું.
- પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પાક્ષિકી અંતર્ગત તા.૨૨-૭-૧૦ના રોજ દીવાન ઠાકોરે શ્રી હરીશ ખત્રી લિખિત ચરિત્રનિબંધ 'હૃદયસ્પર્શી કલાકાર કનુભાઈ દેસાઈ'નું પઠન કર્યું હતું.
- રાજકોટની જેલમાં કવિસંમેલન: ગુજરાત રાજ્યના 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ શહેરોની જેલમાં યોજાતા કવિસંમેલનની શૃંખલામાં તા.૨૯-૬-૧૦ના રોજ રાજકોટ જિલ્લા જેલ ખાતે એક કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ઉમાશંકર જોશી જન્મશતાબ્દીપર્વ: ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક શ્રી ઉમાશંકર જોશીના જન્મશતાબ્દીપર્વનો આરંભ ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત ઉમાશંકર સ્વાધ્યાયપીઠના ઉપક્રમે તા.૨૧-૭-૧૦ના રોજ થયો હતો.
- કાઉન્સિલ ઓફ સિનિયર્સ ઓફ એડિસનની પંદરમી વાર્ષિક જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી ભાનુભાઈ ત્રિવેદી લિખિત "મૂલ્યો તો અમૂલ્ય"નું ઉદ્યોગપતિ શ્રી પીયૂષભાઈ પટેલે તા.૨૩ મે, ૨૦૧૦ના રોજ વિમોચન કર્યું હતું.
- 'રસપ્રતીતિનાં વિઘ્નો પૂર્વ અને પશ્ચિમમાં' વિશે: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત તા.૧૫-૭-૧૦ના રોજ શ્રી શિરીષ પંચાલે 'રસપ્રતીતિનાં વિઘ્નો પૂર્વ અને પશ્ચિમમાં' વિષય પર વ યાખ્યાન આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
- વૈચારિક ક્રાંતિની જ્યોત 'વાંચે ગુજરાત': આ વૈચારિક ક્રાંતિ ખરેખર ઝગવવી હોય તો આમાઅદમી પાસે જવાની વાત સો ટકા સાચી છે.
- પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત સા હિત્ય, શિક્ષણ, પત્રકારત્વ વગેરે વિશેનાં પંદરેક વ્યાખ્યાનોનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
- ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર
..વધુ વાંચો » આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર
-પરિષદ-પ્રમુખશ્રી ભગવતીકુમાર શર્મા, ઓગસ્ટ ૨૦૧૦વાચનપ્રસારની દિશામાં
મન ઉપર એવી છાપ ઊપસવા માંડી છે કે 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અને તેવી બીજી સંસ્થાઓના પૂર્ણ સહકારથી ગુજરાત સરકારે ગુજરાતી પ્રજામાં વાચનપ્રસારણના ઉમદા હેતુથી 'વાંચે ગુજરાત'નું જે ગુજરાતવ્યાપી અભિયાન આરંભ્યું છે તેનું પ્રથમ ઉડ્ડૅયન-ચરણ (ટેક ઓફ સ્ટેજ) પૂરા ઉત્સાહ અને નિષ્ઠાથી સાકાર થવા માંડ્યું છે. આ એક સંતોષપ્રેરક સ્થિતિ લેખાય...
વધુ વાંચો »પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
નહિ વીસરાતા ચહેરા
- પ્રફુલ્લ રાવલ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૨+૧૮૪, કિં.રૂ.૧૧૦/-)
'નહિ વીસરાતા ચહેરા' એ પ્રફુલ્લ રાવલના ચરિત્રનિબંધોનો સંચય ગુજરાતી સાહિત્ય પ્રિષદ દ્વારા આચાર્ય કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિના સૌજન્યથી પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી પ્રફુલ્લ રાવલ નિબંધલેખનમાં
-વિશેષે ચરિત્રનિબંધો અને ચરિત્રોના લેખનમાં તેમજ લઘુકથાના સર્જનમાં માહિર છે. આ પુસ્તકમાં સાહિત્યકારોના ચરિત્રો છે, તો સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય વ્યક્તિઓનાં ચરિત્રો પણ છે. ચિત્રકાર, કે પક્ષીવિદ કે વિજ્ઞાનીનો
સમાવેશ પણ અહીં થયો છે. ચરિત્રાત્મક સાહિત્યનો તત્કાલીન સમાજના ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. સહૃદયો આ પુસ્તકને આવકારશે એવી અપેક્ષા.
નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
વાચનકક્ષ
આર્કાઈવ્ઝમાંથી
પદ્ય: કમાણીની આખરી મુલવણી - ઉશનસ
(શિખરિણી ગઝલ)
અહીં સુધી આવી જીવનનદીના અંત્ય તટથી
વિદાવેળા, શોચું જઉં, પણ નર્યો ખાલી હું નથી;
ન જાને શા માટે અહીં અવતર્યો છું ધરતીપે,
ગયો છું ભૂલીયે મૂળ ઘર , કશું યાદ જ નથી;
તને મેં તો ઢૂંઢ્યો અહીંથી ત્યહીં જ્યાં ત્યાં ભટકતાં,
મળ્યો તું, તે જાણે વીજળી, ગૂંચવી દે દમકથી;
થતું, જાણે મેં તો અમૃત જલધિ મંથન કીધું,
પરંતુ પામ્યો શું મૃગજલધિ મિથ્યા મથીમથી ?
ક્ષણું થાતું, આ તો અખિલ ભ્રમણા માત્ર અમથી;
કવીન્દ્રો, શાસ્ત્રીઓ પણ કહી શક્યા શું કથીકથી?
મુનીન્દ્રો મૂંગા તે અમથું નથી; એ વાચ્ય જ નથી;
ગયું કહેવા કોઈ કલમ પણ થંભી ગઈ 'ક'થી!
જવાની વેળે, લ્યો; ઉશ્નસ કમાણી મુલવતો;
દ્વિધામાં શોચે એ સડક : "કશું છે, છે, નથી, નથી."
(નવનીત-સમર્પણ : નવેં ૨૦૦૫)
વધુ વાંચો »
સભ્યપદ
નવું અને રિન્યૂઅલ
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૦૯
વર્તમાન પ્રમુખ:શ્રી ભગવતીકુમાર શર્માડોનેશન અને આપનો સહયોગ
માહિતી
- સેક્શન 80G
- કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ
નિરંજન ભગત CD સંગ્રહ
ગુજરાતીમાં સાંભળો
વિડિયો આર્કાઈવ
પૉડકાસ્ટ -podcast
મોબાઈલ પર સાંભળો
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન