પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

નવેમ્બર-૨૦૧૦

નવેમ્બર

  • છવ્વીસમું જ્ઞાનસત્ર: વિગતો
  • કવિ-નિબંધકાર શ્રી વિપિન પરીખનું મુંબઈમાં તા.૧૪-૧૦-૨૦૧૦ના રોજ અવસાન થયું છે. તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ.
  • તા.૨૧-૧૦-૨૦૧૦ના રોજ ક.લા.સ્વાધ્યાયમંદિર અને માતૃભાષાસંવર્ધન કેન્દ્ર દ્વારા આયોજિત માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્ર્મ યોજાયો હતો.
  • તા.૬-૧૦ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રીમતી સુજ્ઞાબહેન શાહે 'અવનીન્દ્રનાથની નજરે રવીન્દ્રનાથ ટાગોર' પર વક્તવ્ય આપ્યું હતું.
  • પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પાક્ષિકી અંતર્ગત તા.૭-૧૦ ના રોજ શ્રી દીવાનઠાકોરે 'કોફી કપમાં સાંજ'નું વાર્તાપઠન કર્યું હતું. તા.૨૧-૧૦ના રોજ શ્રી અભિમન્યુ આચાર્યે 'ગ્રંથપાલ'નું વાર્તાપઠન કર્યું હતું.
  • સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું સાતમું વ્યાખ્યાન તા.૯ ડિસેમ્બર, ૨૦૧૦ ને ગુરુવારે સાંજે યોજાશે. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
  • વાંચે ગુજરાત' અંતર્ગત તા.૧-૧૦ના રોજ 'મને ગમતું પુસ્તક' કાર્યક્રમમાં શ્રી હિમાંશીબહેને 'ભૂમિ' વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
  • પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત સા હિત્ય, શિક્ષણ, પત્રકારત્વ વગેરે વિશેનાં પંદરેક વ્યાખ્યાનોનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.