ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : વેણીભાઈ પુરોહિત


વેણીભાઈ પુરોહિત Venibhai Purohit

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

વેણીભાઈ જમનાદાસ પુરોહિત (૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦): કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં ‘બે ઘડી મોજ’માં જોડાયા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં ‘પ્રભાત’ દૈનિક, ‘ભારતીય સાહિત્ય સંઘ’ અને ‘સસ્તું સાહિત્ય’માં પ્રૂફ રીડીંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં. મુંબઈમાં અવસાન.

તેમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમના ગીતોમાં શબ્દ-સંગીતની સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લય-ઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.