ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રાજેન્દ્ર શાહ


રાજેન્દ્ર શાહ  Rajendra Shah

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રાજેન્દ્ર કેશવલાલ શાહ, ‘રામ વૃંદાવની’ (૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. શાળા શિક્ષણ દરમ્યાન અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં અને ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી ૧૯૪૨ સુધી જ્યોતિસંઘમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ૧૯૯૯માં મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, તેમ જ નરસિંહ મહેતા ગૌરવ પુરસ્કાર. ૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત.

અનુગાંધી યુગના સ્તંભ સમા પ્રતિભાશાળી કવિ છે. એમનો કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. એમની કવિતામાં પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક – કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ – અલંકારલય – પ્રાસાદિનું સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આદ્યાત્મભાવ એમની કવુતાના મુખ્ય વિષયો છે. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.