ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મનસુખલાલ ઝવેરી


મનસુખલાલ ઝવેરી Mansukhlal Zaveri

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મનસુખલાલ મગનલાલ ઝવેરી (૩-૧૦-૧૯૦૭, ૨૭-૮-૧૯૮૧): કવિ, વિવેચક. જન્મ જામનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૩૧માં મેટ્રિક, ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૫માં બી.એ. ૧૯૩૭માં એમ.એ. પ્રારંભમાં રુઈયા કૉલેજ, મુંબઈમાં, પછી ૧૯૪૦-૪૫ દરમિયાન રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અને ૧૯૪૫-૫૮ દરમિયાન સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપન. ૧૯૫૬માં આકાશવાણી, મુંબઈ કેન્દ્રના વાર્તાલાપ નિર્માતા. ૧૯૫૮-૬૩ દરમિયાન પોરબંદરની માધવાણી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આચાર્ય. ૧૯૬૬થી ફરી મુંબઈમાં અધ્યાપન. ૧૯૬૬માં બી.ઈ.એસ. કૉલેજ, કલકત્તામાં આચાર્ય. મુંબઈમાં અવસાન.

ગાંધીયુગના કવિઓમાં પ્રશિષ્ટ વાણીથી જુદી પડી આવતી આ કવિની અભિવ્યક્તિ કલ્પના કરતાં વિચારશીલ વધારે છે. પ્રણય અને પ્રકૃતિ એમની કવિતાના મુખ્ય વિષયો છે જેને છાંદસ રચનાઓ અથવા ગીતોમાં ઢાળે છે. એમનું વિવેચન પંડિતયુગની પરંપરાને જાળવતું, સ્પષ્ટભાષી અને પ્રમાણમાં નિખાલસ છે. સાહિત્યના ઇતિહાસથી માંડીને મહત્ત્વની કૃતિઓ અને સર્જકોને સ્પર્શતાં એમના વિવેચનલેખો મળે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.