ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કે. કા. શાસ્ત્રી


કે. કા. શાસ્ત્રી  K K Shastri

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કેશવરામ કાશીરામ શાસ્ત્રી (૨૮-૭-૧૯૦૫, ૯-૯-૨૦૦૬): ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ માંગરોળ (સૌરાષ્ટ્ર)માં. મૂળ અવટંક ‘બાંભણિયા’. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં. ૧૯૨૨માં મેટ્રિક. દરમિયાન પિતાજી પાસે વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન. ૧૯૨૫થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક. ૧૯૩૭માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂંક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતક અધ્યાપન માટેની માન્યતા. ૧૯૪૬થી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી. ૧૯૫૮થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય. ૧૯૫૫થી ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક અને પીએચડી.ના માર્ગદર્શક. ૧૯૬૧થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ શાખાના માનાર્હ નિયામક. ‘અનુગ્રહ’ તેમ જ ‘પ્રજાબંધુ’ના તંત્રી. ગુજરાત સાહિત્યસભાના મંત્રી અને ઉપપ્રમુખ. ૧૯૫૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં ‘વિદ્યાવાચસ્પતિ’ની સંમાનનીય પદવી. ૧૯૭૬માં પદ્મશ્રીનો ખિતાબ. ૧૯૭૭માં ‘મહામહિમોપાધ્યાય’ની માનદ પદવી. ૧૯૮૬માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ.

એમની લેખનપ્રવૃત્તિનો આરંભ સંસ્કૃત ગ્રંથોના સંપાદન અને અનુવાદથી થયો. પરંતુ એમનું વિશેષ સત્ત્વ વિકસ્યું જૂની ગુજરાતીના ગ્રંથોના સંપાદનમાં તથા ગુજરાતી હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં. એમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ પ્રદાન કર્યું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.