ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચાંપશી ઉદેશી


ચાંપશી ઉદેશી Chamshi Udeshi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી, ‘ચંદ્રાપીડ’ (૨૪-૪-૧૮૯૨, ૨૬-૨-૧૯૭૪) નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ. પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગોંડલ. મેટ્રિક પછી ગુજરાતી શાળાના શિક્ષક. ૧૯૨૨માં ‘નવચેતન’ માસિકનો કલકત્તામાં પ્રારંભ. ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચેતન’ સાથે વડોદરામાં સ્થળાંતર. ૧૯૪૬માં ફરી કલકત્તા. ૧૯૪૮માં ‘નવચેતન’ સાથે અમદાવાદમાં સ્થાયી. ૧૯૭૨માં ‘નવચેતન’નો સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન.

‘નવચેતન’ માસિકના જીવનભરના આ તંત્રી એક જમાનાના પ્રખ્યાત નાટ્યકાર હતા. તેમનાં ઘણાં નાટકો ભજવાયાં હતાં એટલું જ નહીં પણ કલકત્તાથી મુંબઈ સુધીના પ્રેક્ષકોમાં પ્રખ્યાત થયાં હતાં. ‘ગરીબ આંસુ’, ‘ઘેલી ગુણિયલ’, ‘ન્યાયના વેર’ આવા સફળ નાટકો છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.