ઈ-ન્યુઝલેટર | # ૧ - ફેબ્રુઆરી ૨૦૧૬ | |||
ભાષાસજ્જતા અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કલા સ્વાધ્યાય મંદિર અને માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે ચાલતા ‘ભાષાસજ્જતા પ્રમાણપત્ર અભ્યાસક્રમ’નું ઉમિયા આટ્ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ ફૉર ગર્લ્સ, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૯-૧-૨૦૧૬થી તા. ૩૦-૧-૨૦૧૬ સુધી ચાલેલા આ ૧૦ દિવસીય અભ્યાસક્રમમાં ગુજરાતીની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાતી ભાષા વ્યાકરણને કેન્દ્રમાં રાખીને ભાષાકૌશલો, અનુશ્વાર, જોડણી, વિરામચિહ્નો, શબ્દઘડતર, વ્યાક્ય રચના અને વાક્યના પ્રકારો, લેખનપદ્ધતિ જેવા વિષયો ઉપર વિવિધ વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. ૧૯ તા. ઉદ્ઘાટન બેઠકમાં શ્રી પ્રફુલ્લ રાવલે પરિષદ પ્રવૃત્તિઓનો પરિચય, શ્રી રતિલાલ બોરીસાગરે માતૃભાષાનું મહત્ત્વ, શ્રી પારુલ કંર્દપ દેસાઈએ અભ્યાસક્રમની ભૂમિકા આપી હતી. |
|
|
ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad